ભગવાનની આરતી પછી કેમ બોલાય છે ‘કર્પૂરગૌરં’ આ વિશેષ મંત્ર ?
કર્પૂરગૌરં મંત્ર:-
।। કર્પૂરગૌરં કરૂણાવતારં
સંસારસારમ્ ભુજગેન્દ્રહારમ ।
સદાવસન્તં હ્રદયારવિન્દે
ભવં ભવાનીસહિતં નમામિ ।।
મંત્રનો અર્થ :-
આ મંત્રમાં શિવજીની સ્તુતિ કરવામાં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છેઃ
કર્પૂરગૌરં- કર્પૂરની સમાન ગૌર વર્ણ વાળા.
કરૂણાવતારં– સાક્ષાત કરૂણાના અવતાર.
સંસારસારમ્- જે આખી સૃષ્ટીના સાર છે.
ભુજગેંદ્રહારમ- જે સાંપને હારના રૂપમાં ધારણ કરે છે.
સદા વસંત હ્રદયાવિનદે ભવંભવાની સહિતં નમામિ– જે ભગવાન શિવ, માતા પાર્વતી સહિત મારા હ્રદયમાં કાયમ નિવાસ કરે છે તેમને હું નમન કરું છું.
મંત્રનો પૂરો અર્થઃ – જે કર્પૂર જેવા ગૌર વર્ણવાળા છે, કરૂણાના અવતાર છે, સંસારનો સાર છે અને નાગનો હાર ધારણ કરે છે, તે ભગવાન શિવ, માતા ભવાની સહિત મારા હ્રદયમાં કાયમ નિવાસ કરે, તેમને હું નમન કરું છું.
?કોઈ પણ દેવી-દેવતાની આરતી પછી કર્પૂરગૌરમ્… મંત્ર જ બોલવામાં આવે છે તેની પાછળ કારણ છે કે, ભગવાન શિવની આ સ્તુતિ શિવ-પાર્વતી વિવાહ વખતે વિષ્ણુ ભગવાને ગાઈ હતી. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્મશાન નિવાસી છે અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયંકર છે, પણ આ સ્તુતિ જણાવે છે કે તેમનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે.
શિવને સૃષ્ટિના અધિપતિ માનવામાં આવે છે, તે મૃત્યુલોકના દેવતા છે. શિવને પશુપતિનાથ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે સંસારમાં જેટલા પણ જીવ છે (મનુષ્ય સહિત) તે બધાના અધિપતિ. આ સ્તુતિ ગાવાની પાછળ કારણ છે કે સમસ્ત સંસારના અધિપતિ શિવ અમારા મનમાં શક્તિ સહિત વાસ કરે. શિવ મૃત્યુના ભયને દૂર કરે છે. આ સ્તુતિ ગાઈને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા મનમાં શિવ વાસ કરે અને મૃત્યુના ભયને દૂર કરે.